CBSE 10 ધોરણની Re-Exam પર મોટો નિર્ણય, ફરીથી નહીં લેવાય ગણિતની પરીક્ષા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાં એ પણ કહેવામાં આવશે કે કયા સેન્ટરો પર અને ક્યારે પરીક્ષા લેવાશે. વળી, સોશ્યલ મીડિયા પર ચાલી એ સમાચારને પણ મંત્રાલયે ખોટા ગણાવ્યા જેમાં 10માંની ગણિતની પરીક્ષાની નવી તારીખ 30 એપ્રિલ બતાવવામાં આવી રહી હતી.
નવી દિલ્હીઃ બહુ ચર્ચિત પેપર લીક કાંડ મામલે હવે નવો નિર્ણય આવ્યો છે. ધોરણ 10ના ગણિતના પેપર ચાલી રહેલી અસમંજસ હવે દુર થઇ ગઇ છે, 10માં ગણિતની પરીક્ષા હવે ફરીથી નહીં લેવાય. આ માહિતી ખુદ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપે આપી દીધી છે.
આ ઉપરાંત થોડીવારમાં મંત્રાલય મોટી જાહેરત કરવાનું છે. 2 એપ્રિલે ભારત બંધ દરમિયાન પંજાબ સહિતની જગ્યાઓ પર 10નું પેપર રદ્દ કરવામાં આવ્યું હતું, ત્યાં ફરીથી પરીક્ષા થશે તેની જાહેરાત થશે.
અનિલ સ્વરૂપ અનુસાર, 10માં ધોરણના ગણિતની પેપરની પરીક્ષા હવે ફરીથી નહીં લેવાય. અનિલ સ્વરૂપે માહિતી આપી છે કે, કથિત રૂપથી લીક થયેલા 10ના ગણિતના પ્રશ્નપત્રોના પ્રભાવના પ્રારંભિક મુલ્યાંકન ફળસ્વરૂપ અને વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને, સીબીએસઇએ દિલ્હી-એનસીઆર અને હરિયાણાના રાજ્યોમાં પણ ફરીથી પરીક્ષા આયોજિત ના કરવાનો નિર્ણય લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -