આજી ડેમના તળિયા દેખાયા, રાજકોટવાસીઓને ઉનાળામાં પાણી મળશે કે કેમ? જાણો વિગત
હવે સરકાર સૌની યૌજનાનું પાણી આપવાની દરખાસ્ત ઠુકરાવે તો બીજી કોઈ વ્યવસ્થા શુ તેનો કોઇ પાસે જવાબ નથી. જો કોઈ પ્રકારની વ્યવસ્થા નહી કરવામાં આવે તો છેલ્લે એક જ વિકલ્પ છે અને એ છે કે શહેરીજનોને પાણીકાપનો માર સહન કરવો પડશે.
બીજી બાજુ મનપા કમિશનર અને શાસક પક્ષ ભાજપ મક્કમ છે કે પાણી કાપ નહી આવવા દઇએ સરકાર નર્મદાના નીર આપશે. રાજકોટને દરરોજ 330 એમએલડી પાણીની જરૂરિયાત છે જે ઉનાળા દરમિયાન વધી શકે છે.
રાજકોટ: રાજકોટમાં ઉનાળા પહેલા પાણીની સમસ્યાઓ શરૂ થઈ છે. રાજકોટનો આજી ડેમ તળિયા ઝાટક છે. 31 માર્ચે પાણીની સમસ્યા સામે આવશે તે નક્કી છે. જેને લઇ મનપા કમિશનર બંછાનિધીપાનીએ રૂપાણી સરકારને દરખાસ્ત કરી છે કે નર્મદામાથી આજી ડેમ ભરી દો, પરંતુ સરકાર પાસે પણ ત્યા પાણીના ફાફા છે.
શહેરના અંદાજીત 3 લાખ નળ કનેકશનમા ઉનાળામાં પણ નિયમીત પાણી આપવાના વાયદાઓ થઇ રહ્યાં છે. રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા માટે આજી ડેમમાંથી 120 એમએલડી, ન્યારી અને ભાદરમાંથી 100 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે.
જ્યારે નર્મદા નીરનું પાણી રાજકોટને દૈનિક 105 એમએલડી આપવામાં આવે છે. હવે નર્મદાના નીર જ નહી આવે તો પાણી ક્યાથી આવશે તે એક મોટો પ્રશ્ન છે.