વડોદરાના પરિવારને ઉદયપુરમાં નડ્યો અકસ્માત, 5ના મોત, બાળકીનો બચાવ

અમૃતલાલ મોદી, સુમન મોદી, અલ્કેશ મોદી,ટીનલ મોદી અને ધનવી મોદીના અકસ્માતમાં મોત નિપજ્યા હતા.
કારચાલકનો મૃતદેહ ખરાબ રીતે ફસાઇ ગયો હતો. જેથી તેનો મૃતદેહ સમયસર બહાર કાઢી શકાયો નહોતો. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ ગેસ કટર વડે કારચાલકનો મૃતદેહ બહાર કઢાયો હતો.
જેમાં મોદી પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક મહિલાને હોસ્પિટલ ખસેડાતા રસ્તામાં જ તેનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનામાં એક બાળકીનો બચાવ થયો હતો.
માહિતી મુજબ, વડોદરાનો મોદી પરિવાર તેમના સંબંધીને ત્યાં પ્રસંગમાં જયપુર ગયો હતો. જ્યાંથી તેઓ આજે વડોદરા પરત ફરી રહ્યા હતા તે સમયે કારચાલકે અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા કારનો અકસ્માત સર્જાયો હતો.
વડોદરા: વડોદરાના મોદી પરિવારની કારને જયપુરથી પરત ફરતા ઉદયપુર નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. જો કે પરિવારની એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે.