Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજન કરવામાં આવ્યું બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 'દિવ્ય દરબાર'નું..આ દિવ્ય દરબાર બાદ જાહેરમાં અંધશ્રદ્ધા ફેલાવવાના અને કાયદો-વ્યવસ્થા જોખમાવવાના ગંભીર આરોપો લાગ્યા. બાગેશ્વરના દિવ્ય દરબારમાં કથિત પ્રેત આત્માઓના નામે ધૂણતા લોકો જોવા મળ્યા.. આવા અનેક વીડિયો વાયરલ થયા. દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પર જ હતા અને હાજર લોકોમાંથી કેટલાક લોકો અચાનક 'ધૂણવા' લાગ્યા..કોઈએ કર્યા હાકલા પડકારા. કોઈ ધુણી રહ્યુ છે.. તો કોઈ પાડી રહ્યું છે ચીસો. કોઈએ તો હાજર લોકો પર જ કરી દીધો હુમલો.. જેમાં મહિલાઓ,પુરુષો સહિત બાળકો પણ ધૂણતા જોવા મળ્યા. આ દરમિયાન એક મહિલા ઉગ્રતાથી ધૂણવા લાગી. જોતજોતામાં આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરી દીધો. એટલું જ નહીં દિવ્ય દરબારમાં કવરેજ કરવા માટે પહોંચેલા મીડિયા કર્મીઓ ઉભા હતા,ત્યાં ધૂણીને પત્રકાર પર પણ હુમલો કર્યો. જે બાદ એક સ્થાનિક પત્રકારે મહિલાનું બરોબરનું ભૂત ઉતારી દીધુ. દરબારમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય એવી સ્થિતિ હોવા છતાં અને લોકો અંદરોઅંદર ધૂણીને આક્રમક થઈ રહ્યા હોવા છતાં, ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પરથી આ સમગ્ર ઘટનાક્રમ મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હોવાના આરોપો થઈ રહ્યા છે.






















