Hun To Bolish : હું તો બોલીશ : વંદે માતરમ પર વિવાદ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : વંદે માતરમ પર વિવાદ કેમ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવવાનો સંકલ્પ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો..
મુખ્યમંત્રીના સંકલ્પ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર કર્યા વાર.. કેટલાક ચોક્કસ પાર્ટીના લોકોને નફરત છે, હતી અને બદલાવ આવે તેવું લાગતું નથી.. જે ગીત ગાયને ક્રાંતિવીરો ફાંસીએ ચડ્યા તે ગીત ગાવામાં ભારતીયોને શું વિરોધ હોય..જનતા જોઈ રહી છે કે કોણ ભારતમાતાનો જયકારો કરે છે અને કોણ તુષ્ટીકરણની રાજનીતી કરે છે. વંદેમાતરમ ગાવાનું થાય ત્યારે લોકસભામાં કોંગ્રેસના લોકો સદનની બહાર નીકળી જાય છે..1937માં મુસ્લિમ લીગના દબાણના કારણે વંદેમાતરમ ગીતના ટુકડા કરવામાં આવ્યા.. દેશના થયેલા ભાગલાનુ બીજ રોપાયું હતું
કોંગ્રેસે મુસ્લિમ લીગના દબાણમાં આ કર્યું.. મુસ્લિમો નારાજ થશે માટે વંદેમાતરમ ગીત યોગ્ય નથી તેવું કહેવાયું હતું..
તો હર્ષ સંઘવીને કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જવાબ આપ્યો..
ના પૂછો જામાનેકો કી ક્યાં હમારી કહાની હૈ
હમારી પહેચાન તો ઇતની હૈ કી હમ સબ સિર્ફ હિન્દુસ્તાની હૈ
બ્રિટિશ સરકારનો પાયો હલાવવા માટે વંદેમંતમ લખાયું હતું..
રાજકીય અવલોકનો કરવાથી ઇતિહાસ બદલી કે ભુંસી નહીં શકો
વંદેમાતરમ ગીત આવ્યા બાદ સાંપ્રદાયિક રાજનીતિ શરૂ થઈ
1946માં કલકત્તામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં વંદેમાતરમનો પ્રસ્તાવ લવાયો હતો..
કોંગ્રેસે વંદેમાતરમને રાષ્ટ્રીય ગીતની માન્યતા આપવામાં આવી હતી
1950માં ભારતની પ્રથમ સંવિધાન સભામાં વંદેમાતરમ ગીતને રાષ્ટ્રીય ગીત જાહેર કરાયું..
ભાજપ શ્યામાપ્રસાદ મુખર્જી પણ એ સભામાં હાજર હતા
વંદેમાતરમ સૂત્ર નથી શાસ્ત્ર છે..
વંદેમાતરમનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હોત તો અક્ષરધામ પર હુમલો ના થયો હોત..વંદેમાતરમનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હોત તો બાલાકોટ ના થયો હોત..વંદેમાતરમનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હોત તો અમેરિકાના કહેવાથી સિઝ્ફયર ના થયું હોત..
--------------
તો અમિત ચાવડાએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું.. ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું ભાજપના વડવાઓ અંગ્રેજોની દલાલી કરતા, તેમને બાતમી આપતા હતા.. RSS ના વડામથક પર આઝાદીથી આજ સુધી તિરંગો લહેરાવ્યો નથી..ભાજપને વંદેમાતરમ્ કે આઝાદી બાબતે વાત કરવાનો કોઈ અધિકાર નથી..ગોડસેનR વિચાર ધારા ધરાવતી પાર્ટીને કોંગ્રેસને સવાલ પૂછવાનો કોઈ અધિકાર નથી-------------
વંદે માતરમનો ઈતિહાસ
- 1870માં બંકિમચંદ્ર ચેટર્જીએ કરી હતી રચના
- મૂળ સંસ્કૃત અને બંગાળી મિશ્રિત ભાષામાં લખાયુ
- 1896માં કોંગ્રેસ અધિવેશનમાં રવિન્દ્રનાથ ટાગોરે પહેલીવાર ગાયુ
- સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીઓનું પ્રેરણાસ્ત્રોત રહ્યું
- 24.01.1950ના દિવસે બંધારણ સભામાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાયું.
- ગીતમાં માતૃભૂમિને દેવી તરીકે દર્શાવાતું હોવાથી મુસ્લિમોએ વિરોધ કર્યો
- 2025માં ગીતના 150 વર્ષ પૂર્ણ થતા ઉજવણી
-------------------------------
લોકસભામાં જ્યારે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા થઈ ત્યારે પણ ઘણો વિવાદ થયો હતો. પ્રિયંકા ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.. તેમણે આ ચર્ચાના સમય અને હેતુ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, સરકાર દેશના મહત્ત્વના મુદ્દાથી ધ્યાન ભટકાવવા અને રાજકીય લાભ લેવા માટે આ ચર્ચા કરાવી રહી છે.’ચર્ચાની શરુઆતમાં પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ પર ‘વંદે માતરમ્’ને વિવાદોમાં ઘસડવાનો અને મુસ્લિમ લીગના દબાણમાં તેના ટુકડા કરવાનો આરોપ મૂક્યો હતો.























