Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
દેશમાં આરોગ્ય ક્ષેત્ર સામે એક નવો અને ગંભીર પડકાર ધીમે ધીમે ઉભો થઈ રહ્યો છે....સામાન્ય બીમારીઓ માટે ડોક્ટરની સલાહ વિના દવાઓ લેવાની પ્રવૃત્તિ વધતા હવે જાહેર સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહી છે....ખાસ કરીને એન્ટીબાયોટિક્સનો અયોગ્ય અને અતિશય ઉપયોગ દેશને દવા પ્રતિકારક ચેપોની દિશામાં ધકેલી રહ્યો છે.. જેના પરિણામો લાંબા ગાળે ઘાતક સાબિત થઈ શકે છે....આ મુદ્દે નિષ્ણાતો અને સરકાર બંનેએ એન્ટીબાયોટિક્સના જવાબદાર ઉપયોગ માટે જનજાગૃતિની અપીલ કરી છે....
આજે લોકો તાવ, શરદી કે દુખાવા જેવી સામાન્ય સમસ્યાઓમાં સીધા મેડિકલ સ્ટોર પરથી દવાઓ લઈ રહ્યા છે....પ્રિસ્ક્રિપ્શન વિના મળતી દવાઓ થોડા દિવસોમાં રાહત આપે છે, પરંતુ અંદરખાને જીવાણુઓને વધુ મજબૂત બનાવે છે....આ પ્રક્રિયામાં બેક્ટેરિયા દવાઓ સામે લડવાની ક્ષમતા વિકસાવે છે, જેના કારણે ભવિષ્યમાં તે જ દવાઓ બેઅસર સાબિત થાય છે....આ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના મન કી બાત કાર્યક્રમમાં ચિંતા વ્યક્ત કરતા લોકોને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવાની અપીલ કરી હતી....પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં મુદ્દો ઉઠાવ્યો હતો, કારણ કે વિશ્વ આરોગ્ય સંગઠને એન્ટિબાયોટિક પ્રતિકારને શાંત રોગચાળો જાહેર કર્યો છે....જો આવી પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આગામી વર્ષોમાં સામાન્ય સમસ્યાઓ માટે પણ એન્ટિબાયોટિક્સ દવાઓ બિનઅસરકારક બની જશે...અને સામાન્ય સમસ્યાઓ પણ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે...લોકોએ અત્યંત સતર્ક રહેવાની જરૂર છે....આજે આ મુદ્દે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ ચિંતા વ્યક્ત કરી છે....AMRની બીમારી વિશ્વનો સૌથી મોટો પડકાર છે...આવો સાંભળી લઈએ તેમનું શું કહેવું હતું....
એન્ટિબાયોટિક ગોળી એવી દવા છે, જેનો ઉપયોગ બેક્ટેરિયાને મારીને અથવા તેમની વૃદ્ધિને અટકાવીને બેક્ટેરિયાના ચેપ એટલે ઈન્કફેશન દૂર કરવા માટે થાય છે....જો કે આ એન્ટીબાયોટીક્સ સામાન્ય શરદી અથવા ફલૂ જેવા વાયરલ ચેપ સામે બિનઅસરકારક છે....એન્ટિબાયોટિક્સ માત્ર એલોપેથી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ....જાતે જ એન્ટીબાયોટીક્સની દવા મેડિકલ સ્ટોર પરથી લેવાનું ટાળવું જોઈએ...એન્ટીબાયોટીક્સ લીધા બાદ તુરંત જ સારું લાગવાનું શરૂ થાય તો પણ, સારવારનો સંપૂર્ણ ડોઝ પૂરો કરવો જરૂરી છે....ડોઝ પૂરો ના કરવાથી કેટલાક બેક્ટેરિયા શરીરમાં રહી જાય છે, જેના કારણે ચેપ પાછો આવે છે અને સંભવિત રીતે એન્ટિબાયોટિક સામે રેઝિઝટેન્સ કેળવી લે છે....મતલબ કે પછી એન્ટીબાયોટિક્સનો સરખો ડોઝ આ બેક્ટરીયા પર અસર નથી કરતો વધુ ઊંચા ડોઝની જરૂર પડે છે...વિવિધ એન્ટિબાયોટિક્સ જુદી જુદી રીતે કામ કરે છે...એન્ટિબાયોટિક્સના અલગ અલગ વર્ગો છે, જે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાને લક્ષ્ય બનાવે છે...એન્ટીબાયોટિક્સની આડઅસરોમાં ઉબકા આવવા, ઝાડા, ઉલટી થવા અને પેટમાં દુખાવાના જેવા લક્ષણનો સમાવેશ થાય છે....






















