Hun To Bolish | હું તો બોલીશ : ગૌમાંસના સૌદાગર કોણ?
બે દિવસ પહેલા દ્વારકાના રૂપેણ બંદર પરથી 50 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં 3 આરોપીઓ પણ પકડાયા હતા. દ્વારકાના રૂપેણ બંદર પર રહેતા સલમા બેન ઇલિયાસ,નદિમ ઉર્ફે લાલો જહાંગીર ભાઈ અને તેને સાથ આપનાર એવા ખંભાળિયાના જાવેદ સબિરને દ્વારકા પોલીસે પકડી પાડ્યા છે. ત્યારે ગૌમાંસના આ આરોપીઓને કડક સજાની માંગ સાથે વિવિધ સંગઠનોએ મળી આજે રેલી યોજી અને આવેદનપત્ર આપ્યું. તો દ્વારકા શારદા મઠના જગદગુરુ શ્રી શંકરાચાર્ય સરસ્વતીજી મહારાજે પણ આ ઘટના વખોડી ગૌમાંસ વેચનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
દ્વારકામાં આજે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ અને RSSના કાર્યકરો તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને અન્ય સાધુ -સંતો, ભૂદેવો સહિત સ્થાનિકો આ રેલીમાં જોડાયા હતા. આવા તત્વો સામે કડક કાર્યવાહી સહિત વિવિધ માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું























