Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો અવાજ કેમ દબાયો?
15 જૂન એટલે કે ગઈકાલે ખેતરોમાં ખાનગી પાવરગ્રીડ કંપની દ્વારા થાંભલા નાખવા સામે વિરોધ તેમજ યોગ્ય વળતરની માગ સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો...ગઈકાલે ખેડૂતોએ યોજી ટ્રેકટર રેલી...ખેડૂતોને પોતાની વ્યથા સરકાર સુધી પહોંચાડવી હતી...અને એટલે જ સુરેન્દ્રનગર,મોરબી અને કચ્છના ખેડૂતોએ વિરમગામ નજીક સોકલીથી ટ્રેકટર યાત્રા શરૂ કરી...જેમાં કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, મહિલા આગેવાન ગીતા પટેલ જોડાયા...અંદાજ પ્રમાણે વિરમગામથી 500 જેટલા ટ્રેકટર અને 500 જેટલી ગાડીઓ ભરીને ખેડૂતો, આગેવાનો સાથે અમદાવાદના શાંતીપુરા સર્કલ તરફ આવવા રવાના થયા હતા...વિરમગામથી નીકળેલી રેલી શાંતીપુરા સર્કલ પહોંચી....જ્યાં કોંગ્રેસના અન્ય નેતાઓ રેલીમાં જોડાયા...
અંદાજે દોઢ વાગ્યા આજુ બાજુ આ રેલી ઓગણજ પહોચી...જ્યાં શતાબ્દી ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલા કોંગ્રેસની સભાસ્થળ સુધી રેલી પહોંચે તે પહેલા જ ખેડૂતોમાં બે ભાગલા કેટલાક ખેડૂતોના મતે સભાસ્થળ અંગે આગોતરી જાણ કરાઈ ન હતી અને રાજકીય હાથો બનાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો હોવાના આરોપ લગાવ્યા..ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ સુધી જવાની જીદ લઈને બેઠેલા ખેડૂતોનું એક તબક્કે પોલીસ સાથે પણ સામાન્ય ઘર્ષણ થયું..
ખેડૂતોની વ્યથા સાચી છે... ખેડૂતોની મજબૂરી સાચી છે...અને ખેડૂતોનો વિરોધ કરવો પણ યોગ્ય છે...પોતાની વ્યથા સરકાર સુધી પહોંચાડવા જ ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા..જો કે ખેડૂતોના આ વિરોધમાં રાજકીય પાર્ટીઓની એન્ટ્રી થઈ..અને રાજકારણ પણ શરૂ થઈ ગયુ જેના કારણે ખેડૂતોની વ્યથા સરકાર સુધી ના પહોંચી શકી...






















