Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?
આણંદ જિલ્લામાં ભેળસેળ યુક્ત હલકી ગુણવત્તાયુક્ત ખાતર બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. 26 એપ્રિલ 2026એ વડોદ ગામમાં SOGએ એક ગોડાઉનમાં દરોડા પાડી ખેડૂતોને છેતરતા ભેળસેળયુક્ત ખાતર બનાવવાના ગોરખધંધાનો ભંડાફોડ કર્યો હતો. 3 હજાર 454 બેગ જેટલુ ભેળસેળયુક્ત ખાતર જપ્ત કરવામાં આવ્યું. સાથે જ ટ્રક, મશીનરી અને અન્ય સામગ્રી સહિત 18 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. આ બેગમાંથી 204 બેગ એવી હતી કે જેની પર પોટાશ અને નીચે નાના અક્ષરે ઓર્ગેનિક મેન્યોર ફર્ટીલાઈઝર લખેલુ હતુ. પણ તપાસ કરતા અંદર પોટાશ હતું જ નહીં. સાથે જ 400 બેગ એવી હતી કે જેના પર લખ્યું હતુ કેશવ માધવ ઈન્ડ્સ્ટ્રીઝ પ્યોરેક્સ 300 અને કોઈપણ જાતના માર્કા વગરની 2750 બેગ જપ્ત કરાઈ. પોલીસે સ્થળ પરથી ભાવનગરના રઘુવીર સોલંકીની ધરપકડ કરી. આરોપીઓ ખેડૂતોને સસ્તા ભાવે ખાતર વેચવાના નામે છેતરપિંડી કરતા. રોડ દરમિયાન નકલી ખાતર મળતા SOGએ આણંદ કૃષિ વિભાગને જાણ કરી. કૃષિ વિભાગે ખાતરનું પરીક્ષણ કર્યુ.. અને રિપોર્ટમાં સ્થળ પરથી મળી આવેલ ખાતર બનાવટી અને ભેળસેળ યુક્ત હોવાનો ખુલાસો થયો.





















