Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ માટે સતત અમે કાર્યક્રમ કરતા રહ્યા છીએ. હવે આ મુદ્દે ગેનીબેને પણ એક નિવેદન આપ્યું છે. 26 નવેમ્બરે બહુચરાજીમાં ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભુવાની વધતી સંખ્યા પર શું ચિંતા વ્યક્ત કરી હતી. અને તેમના આ નિવેદન પર અરવિંદ ભુવાએ ગેનીબેનનું નામ લીધા વગર પ્રતિવાર કર્યો છે. આવો સાંભળી લઈએ બંનેએ શું કહ્યું હતું.
આટલું જ નહીં ગેનીબેને 7 ડિસેમ્બરે થરાદમાં ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો અને જૂની ખોટી પ્રથાઓ બંધ કરવાનું આહ્વાન કર્યું હતું. અને સમાજની દીકરીઓને દશામાનું વ્રત ન કરવાની અપીલ કરી. આવો સાંભળી ગેનીબેનનું એ નિવેદન...





















