Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
દેશમાં OBC કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ માટે એક સમર્પિત અને અલગ મંત્રાલયની સ્થાપના કરવાની માગ ઊઠી છે. જે અંગે OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર મારફત રજૂઆત કરી છે. હરિભાઈ ચૌધરીએ પત્રમાં લખ્યું છે કે, હાલમાં OBC વર્ગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક કાર્યરત છે. ઓબીસી જ્ઞાતિઓને વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવામાં આવતું નથી. SC અને ST સમુદાયો માટે અલગ વિભાગો અને મંત્રાલયો હોવાથી તેમનો વિકાસ વધુ કેન્દ્રિત રીતે થાય છે, જ્યારે OBC વર્ગ માટે આવી કોઈ અલગ વ્યવસ્થા નથી. વધુમાં રજૂઆત કરતાં તેમણે લખ્યું, 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જાતિની વસ્તી 15 % અને અનુસૂચિત જનજાતિની વસ્તી અંદાજે 7-8 % છે. તેની સરખામણીએ વિવિધ અંદાજો મુજબ OBC સમાજની વસ્તી 50 %થી વધુ હોવા છતાં તેમના માટે કોઈ અલગ મંત્રાલય નથી. આ તફાવતને દૂર કરવા માટે હરિભાઈ ચૌધરીએ આગામી 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પણ આગ્રહભરી માગ કરી છે, જેથી ઓબીસી સમાજનો સચોટ ડેટા મળી શકે અને તે મુજબ નીતિઓ ઘડી શકાય.






















