Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
હોટલ, રેસ્ટોરન્ટ કે ખાદ્ય એકમોમાં જો એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે અને મેનુમાં જો એ વાતનો ઉલ્લેખ નથી...તો એ હોટલ, રેસ્ટોરન્ટને સીલ વાગવાનું નક્કી છે...અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વાતને લઈ ફુલ એક્શનમાં છે...આજે વસ્ત્રાલ વિસ્તારની ભૈરવનાથ પંજાબી તડકા નામની હોટલ સીલ કરવામાં આવી કારણકે હોટલ સંચાલકે મેનુમાં ઉલ્લેખ નહોતો કર્યો કે તેઓ એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે....સાથે જ ગોતામાં આવેલી શ્રી ક્રિષ્ના ડેરીમાંથી 36 હજાર 400 ની કિંમતનું 140 કિલો પનીર સ્થગિત કરાયું અને નરોડાની રાધે ડેરીમાંથી 31 હજાર 200ની કિંમતનું 104 કિલો પનીર સ્થગિત કરાયું...જેને તપાસ માટે મોકલાયુ છે...હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ઉત્પાદકોએ ઉપયોગમાં લેવાતા પનીરનો પ્રકાર જાહેર કરવો આવશ્યક છે, જે મેનુ અથવા ડિસ્પ્લે બોર્ડ પર જરૂરી હોય છે...એટલે એક વાત ક્લીયર છે કે જો ડેરી પનીરની આડમાં એનાલોગ પનીર વેચશો અન ગ્રાહકોને જાણ પણ ના કરો તો કાર્યવાહી થશે...






















