Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
આરોપીઓનો વરઘોડો.... છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં આતંક મચાવતા, કોઈ ગુનાઓ કરેલા આરોપીઓ સહિતનાઓનો પોલીસ વરઘોડો કાઠતી.... અને લોકો વચ્ચે તેને મેથીપાક પણ ચખાડવામાં આવતો... જો કે, અત્યાર સુધી આરોપીને જે તે વિસ્તારમાં લઈ જવામાં આવતો... જ્યા તેણે આતંક મચાવ્યો હોય, ઉત્પાત કર્યો, શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો અથવા તો કોઈ ગુનાને અંજામ આપ્યો હોય... આરોપીઓના હાથમાં કાયદાના દોરડા બાંધી પોલીસ તેને સ્થળ પર લઈ જઈ.... લોકો વચ્ચે આરોપી માફી માગતો.... લંગડાતો લંગડાતો ચાલતો.... ઘૂંટણીએ સ્થળ પર લઈ જવાતો... બે હાથ જોડી ફરી આવુ નહીં કરે તેની ખાતરી આપતો... આ બધુ જ થતું.. ઘણી વખત તો સરઘસ દરમિયાન લોકોના રોષનો ભોગ પણ આરોપીઓ બનતા.. પણ હવે આવુ નહીં થાય.... કારણ કે, આ મામલે ગુજરાત પોલીસ માટે રાજ્યના ડીજીપીએ મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કર્યો છે.... ડીજીપીના આદેશ અનુસાર હવે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં... તેમજ આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.... ડીજીપીએ આપેલી સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આરોપી ભલે ગંભીર ગુનામાં સંડોવાયેલો હોય તેમ છતા કાયદાની મર્યાદામાં રહીને જ તેની સાથે વ્યવહાર કરવો પડશે.. જેમાં પોલીસ હવે આરોપીની અટકાયત કરતા સમયે જાહેરમાં પરેડ નહીં કરાવી શકે.. એટલુ જ નહીં.. આરોપીને પોલીસ સ્ટેશન કે મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરતા સમયે હિંસાત્મક ટોળાથી બચાવવો પડશે.. આરોપીને જાહેરમાં ઉઠક-બેઠક ન કરવાવી, આરોપીને ઘુંટણીએ ન ચલાવવો, આરોપીને જાહેરમાં લાત કે લાકડી ન મારવી, આરોપીને જાહેરમાં હાથ જોડાવી કે કાન પકડાવીને માફી મગાવી શકાશે નહીં.. પોલીસ હવે આરોપીને જાહેરમાં મુર્ગો પણ નહીં બનાવી શકે.. આરોપીનું આત્મસન્માન જળવાય તે રીતે વ્યવહાર કરવાની ડીજીપીએ તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે.. અને જો કોઈ અધિકારી કે કર્મચારી આરોપીના માનવ અધિકારના હકો વિરૂદ્ધનું કૃત્ય કરશે તો તેમના વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી..
નામદાર સુપ્રીમ કોર્ટે ડી.કે. બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળના 1996ના ઐતિહાસિક ચુકાદામાં આરોપીના માનવ અધિકારો અને આત્મસન્માનનું રક્ષણ કરવા વિવિધ માર્ગદર્શિકા આપી હતી. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે પણ ભૌતિક ભટ્ટ દ્વારા થયેલી રીટ પીટિશન પર 7 મેના રોજ ચુકાદો આપતા સુચનાઓ આપી હતી... જેને લઈને હાઈકોર્ટના હુકમને ધ્યાને રાખી ડી.જી.પી. કચેરીએ પરિપત્ર બહાર પાડ્યો છે
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અનેક વખત કહી ચૂક્યા છે... કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.... જો કોઈ ચેનચાળો કર્યો તો વરઘોડો તો નીકળશે જ...





















