Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
અપમાનની રાજનીતિ આ મુદ્દો એટલા માટે કારણકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ કેરલમમાં એક રેલી દરમિયાન એવું નિવેદન આપ્યુ કે જેનાથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો...તેમણે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર ભાષણ દરમિયાન તેમણે ગુજરાતના લોકોને "અભણ" ગણાવ્યા...તેમણે કહ્યું કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ સ્માર્ટ અને શિક્ષિત છે.... મોદીજી અને વિજયન - તમે બંને ગુજરાત અથવા અન્ય સ્થળોએ અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી."
મલ્લિકાર્જુન ખડગે ભૂલ્યા છે ભાન...આ નિવેદન આપ્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ....ખડગેના આવા નિવેદનથી કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા બહાર આવી છે...ખડગેનું આ નિવેદન માત્ર ગુજરાતીઓ જ નહી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું પણ અપમાન છે......જો ખડગે અને ગુજરાત કોંગ્રેસ માફી નહી માગે તો જનતા જવાબ આપશે...
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભરતસિંહ સોલંકીએ બચાવ કરતા કહ્યું કે તેમનો કહેવાનો ઉદ્દેશ એવો હતો કે ઓછું ભણેલા લોકોની સંખ્યા અહીં વધુ છે...તેમણે શું કહ્યું આવો સાંભળીએ
તો તાજેતરમાં જ TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવું નિવેદન આપ્યું કે આઝાદીમાં ગુજરાતીઓનું યોગદાન નથી...તેમણે કહ્યું કે બંગાળીઓએ અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા?" તેમણે દાવો કર્યો કે કાલાપાણીમાં શહીદ થયેલા અને કેદ થયેલા લોકોમાં 68% બંગાળીઓ હતા અને ત્યારબાદ પંજાબીઓ હતા. તેમણે પડકાર ફેંકતા પૂછ્યું કે, "શું તમે મને ત્યાં હાજર રહેલા કોઈ એક ગુજરાતીનું નામ આપી શકો છો?"






















