Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન આપ્યા..સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કરતા લગભગ પોણા ત્રણ વર્ષ બાદ તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે..સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે તથ્ય પર IPC 304ની કલમ લાગેલી છે.. પરંતુ હજુ સુધી તે તેમાં દોષિત ઠર્યો નથી.. તથ્યએ લગભગ બે વર્ષ અને 10 મહિના જેલમાં કાઢ્યા છે.. મૃતકોના પરિવારને વળતર વિશે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અત્યારે ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે નિર્ણય તેને અસર કરી શકે છે.. 20 જુલાઈ 2023ના રોજ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત નિપજ્યા હતા..
તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર થતા પીડિત પરિવારમાં રોષ છે.. પીડિત પરિવારનો આરોપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી પરિવારનું જીવન નર્ક સમાન બની ગયુ છે.. પરિવારે અત્યાર સુધી હોસ્પિટલ અને સારવાર પાછળ અંદાજિત એક કરોડ જેટલો ખર્ચ કર્યો છે.. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવક આજે પણ પથારીવશ છે.. જેથી પીડિત પરિવારે આરોપી તથ્ય પટેલના જમીન રદ કરી ફાંસીની સજા કરવાની માગ કરી છે.






















