Hun To Bolish : હુ તો બોલીશ : વ્યાજખોરોનો હિસાબ ક્યારે ?
Hun To Bolish : હુ તો બોલીશ : વ્યાજખોરોનો હિસાબ ક્યારે ?
ગોધરામાં ફરી એકવાર વ્યાજખોરોના આતંકનો ગંભીર મામલો સામે આવ્યો…શહેરના ભુરાવાવ વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરોના સતત માનસિક ત્રાસથી કંટાળી ફિનાઇલ પીધું…માતાની સારવાર માટે લીધેલા ₹1.26 લાખ સામે અત્યાર સુધીમાં ₹5 લાખથી વધુ વ્યાજ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરનો ત્રાસ યથાવત હતો..
વ્યાજખોરોની ધમકીઓથી કંટાળી યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી પોલીસ પાસે મદદ માગી…વ્યાજખોરો માથાભારે હોવાના કારણે વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.. ફિનાઇલ પીધા બાદ યુવકની હાલત લથડતા તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો…
સુરતના વેસુ વિસ્તારમાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી લીધી. આ ખુબજ દુખદ ઘટના બની છે વ્યાજખોરોના ત્રાસના કારણે.. વૈભવ રૂંગટા નામના શખ્સની ઉઘરાણીના ત્રાસથી બાલમુકુંદ ખેતાને પત્નિ અને દીકરીઓ સાથે ઝેરી દવા ગટગટાવી લીધી.. જેમાં બાલમુકુંદ ખેતાનનું ઘટનાસ્થળે મોત થયું, પત્નિ અને માસૂમ દીકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું જ્યારે બીજી દીકરીનો સદનસીબે બચાવ થયો છે. ઘટનાસ્થળેથી પોલીસને સુસાઈડ નોટ મળી છે જેમાં વૈભવ રૂંગટા નામના શખ્સના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે. વૈભવ રૂંગટા વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
જુનાગઢમાં યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોષીએ આરોપ લગાવ્યો કે ગૌરવ રૂપારેલિયાએ લોકોને વ્યાજના વિષ ચક્રમાં ફસાવ્યા છે. તેજસ જોષીએ વ્યાજખોરીના પુરાવાઓ પણ જાહેર કર્યા.. તેણે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા સામે પણ ગંભીર આરોપ લગાવ્યા.. તમામ બાબતો અંગે પુરાવાને લઈને PMOમાં પણ કરી અરજી.. ભાજપ પ્રમુખના ભ્રષ્ટ્રાચારને લઈને પણ તેજસ જોષીએ આરોપ લગાવ્યા છે.
ગૌરવ રૂપારેલિયા જૂનાગઢમાં લાખો-કરોડો રૂપિયાનું વ્યાજવટું કરવાનું સામ્રાજ્ય ચલાવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેજસ ઉર્ફે પપ્પુ જોષીએ મીડિયા સમક્ષ બે કાગળો પણ રજૂ કર્યા હતા, વ્યાજે રૂપિયા લેનારા અનેક લોકોના નામ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ કાગળમાં ગૌરવ રૂપારેલિયાના નામનો કોઈ ઉલ્લેખ નથી. આ સિવાય ભાજપ શહેર પ્રમુખ અને ઉપપ્રમુખે કયા કયા કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો છે તેના પુરાવા પણ તેણે મિડિયા સમક્ષ રજૂ કર્યા..
અમરેલીના સાવરકુંડલામાં મીઠાઈની દુકાન ધરાવતા વેપારીએ 12 મે 2025એ વ્યાજખોરના ત્રાસથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું...આ મુદ્દે મૃતક અશોકભાઈ ચૌહાણના પુત્રએ ભાજપ નેતા સહિત 8 લોકો સામે 12 તારીખે ફરિયાદ નોંધાવી હતી... સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમા સહિત હજુ 6 લોકો સામે કાર્યવાહી થઈ.. મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી હતી..જેમાં તેમણે લખ્યું હતું કે, સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમાએ તેને 1 લાખ રૂપિયા દર મહિને 10 ટકાના વ્યાજે આપ્યા હતા.....સમાજના પ્રમુખ બીપીન શેલારે 9 લાખ ઉંચા વ્યાજે આપી કોરા ચેક લખાવી લીધા હતા...મહેન્દ્ર નથવાણી 5 વર્ષથી રૂપિયા 2 લાખનું દર મહિને 6 હજાર વ્યાજ વસૂલતો હતો..આ મુદ્દે ભાજપે ભાવેશ વિકમાને તમામ હોદ્દા અને સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો.























