Hun To Bolish : હું તો બોલીશ : સમાજની શક્તિ, લાવશે નવી ક્રાંતિ !
છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના અલગ અલગ સમાજના અનેક સંમેલનો થઈ રહ્યા છે. મોટાભાગના સંમેલનો સમાજમાં જરૂરી સુધારા અર્થે બંધારણ માટે થયા છે. જેમની જનસંખ્યા ઓછી છે તેવા સમાજોના પણ સંમેલનો થયા, બંધારણ તૈયાર થયું છે અથવા થઈ રહ્યું છે. જેમની જનસંખ્યા વધુ છે તે સમાજોએ પણ આંતરિક ચર્ચા કરી સમાજ વ્યવસ્થાને સુદર્ઢ કરવાનો પ્રયાસ કર્યો છે. શરૂઆત ઠાકોર સમાજે કરી ત્યારબાદ હવે રબારી સમાજ આવતી કાલે ડીસામાં મહાસંમેલન કરવા જઈ રહ્યું છે. અહીં પણ સમાજ સુધારણાની વાત થવાની છે...જો કે, તેની ચર્ચા ચોક્કસથી કરીશું પણ તે પહેલા વાત કરી લઈએ ક્ષત્રિય ઠાકોર સમાજ અને ઓબીસી એકતા મંચના અભ્યુદય મહાસંમેલનની.
26 જાન્યુઆરીએ રાત્રે ત્રણ વાગ્યે યોજાવા જઈ રહ્યું છે ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન. ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય નામથી મહાસંમેલન મળશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.. મહાસંમેલનમાં સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મુકવામાં આવશે. રામકથા મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમને લઈને પોલીસ અને વહીવટી પ્રશાસન પણ સતત વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યું છે.. અંદાજિત 2 લાખથી વધુ લોકો આ મહાસંમેલન ઉપસ્થિત રહેવાના છે. રાજ્ય સરકારે અડાલજ પાસે ઠાકોર સમાજને શૈક્ષણિક ધામ માટે જમીન ફાળવી છે. જ્યાં સરસ્વતિ ધામ શૈક્ષણિક સકુલમાં 2 હજાર વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા ઉભી કરાશે. એટલુ જ નહીં.. આ ભવનનું ભૂમિ પૂજન પણ 10 વર્ષથી નીચેની વયના 11 દીકરી-દીકરા કરશે. .અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યુ કે અન્ય સમાજ સાથે કોઈ સ્પર્ધા કે ઈર્ષા નથી.. સમાજના ઉત્થાન માટે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ કાર્યક્રમને શક્તિપ્રદર્શન ન ગણીને રાજકીય અવલોકન ન કરવામાં આવે.






















