Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
રાજ્યમાં શ્રમિકોની સુરક્ષાને અનેક સવાલ ઉઠતા આવ્યા છે કારણ કે, મજૂરોના ગેસ ગળતરથી મોત થવા.. ઉંચાઈ પર કામ કરતા પટકાઈ જવાથી મોત થવા. ઉનાળામાં બપોરના આકરા તાપમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર તેમની પાસે કામ કરાવવું. હેલ્મેટ વગર કામ, સેફ્ટી બેલ્ટ વગર ઊંચાઈ પર ચઢાણ, સુરક્ષા જાળ વગરનું બાંધકામ. ત્યારે સવાલ એ છે કે, શું કામદારોનો જીવ એટલો સસ્તો છે?" જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે જવાબદારી એકબીજા પર ઢોળવામાં આવે છે. પરંતુ પરિવારનો આધાર ગુમાવનાર શ્રમિકના ઘરની વેદના કોઈ નથી સમજતું. ફક્તને ફક્ત તપાસની મોટી મોટી વાતો થશે.10-15 દિવસમાં બધુ રફેદફે થઈ જશે .
શરૂઆત આની જ સુરતમાં બનેલી ઘટનાથી કરીએ. જ્યાં ખાંડ બજાર વિસ્તારમાં સવારે દુર્ઘટના સર્જાઈ... જેમાં ચાર લોકોના મોત નીપજ્યા. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ એટલે કે રતિહ જ્વેલર્સ ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસની અસરને કારણે અંદર જ ફસાઈ ગયા. જ્વેલરી પ્રોસેસિંગ દરમિયાન જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે, તેને એકત્રિત કરવા માટે એક સેપ્ટિક ટેન્ક બનાવવામાં આવી છે. આ ટેન્કની સફાઈ કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ.
પહેલાં યોગેશ સફાઈ માટે અંદર ઉતર્યો અને ત્યારબાદ તે અંદર ફસાયો. જેને બચાવવા વિકાસ અને વિજય અંદર ગયા.. ત્યારબાદ ત્રણેય ફસાયા. ત્રણેયને બચાવવા સુપરવાઈઝર નિલેશે ફાયરને કોલ કર્યો અને બચાવવા તે પણ અંદર ઉતર્યો. આમ આ ઘટનાક્રમ મુજબ ચારેયના મોત થયા.






















