Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
અમદાવાદ મહાનગરપાલિકાના ફુડ વિભાગે 9.90 લાખની કિંમતનો અખાદ્ય હળદર અને કાજુનો જથ્થો કર્યો જપ્ત.. 8 મેના રોજ મનપાના ફુડ વિભાગે માધુપુરાના અરવિંદ ભુવન સામે આવેલા સુદામોમલ તનુમલના અવિનાશ મસાલાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા.. ફુડ વિભાગે લીધેલા હળદરના નમૂનાનું લેબોરેટરીમાં પરીક્ષણ કરતા 84.8 ટકા જેટલું સ્ટાર્ચનું અસામાન્ય પ્રમાણ મળી આવ્યુ હતુ.. ફુડ વિભાગના અધિકારીએ માહિતી આપી કે તપાસ દરમિયાન વેપારી પાસે માન્ય FSSAI લાઈસન્સ ઉપલબ્ધ નહોતુ.. સર્ચ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી અંદાજે 2500 કિલો હળદર અને 1400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત કરાયો હતો. હળદરના જથ્થાની તપાસ કરતા ખુલાસો થયો કે શુદ્ધ સુકી હળદરમાં કુદરતી રીતે 40થી 60 ટકા સ્ટાર્ચ હોય છે. પરંતુ આ હળદરના આ નમૂનામાં 84.8 ટકા જોવા મળ્યુ.. હળદરના વજનમાં વધારો કરવા માટે તેમાં મોટા પાયે ઘઉંનો લોટ અને ચણાના લોટનું મિશ્રણ કરવામાં આવ્યુ હતુ..
















