Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા.. મહાનગરપાલિકા કમિશનર બંછાનિધી પાનીએ શહેરીજનોને એક ચેતવણી આપી છે.. જેમાં ચોમાસા દરમિયાન શહેરના તમામ 25 અંડરબ્રિજમાં પાણી ભરાશે અને જો કોઈ નાગરિક ત્યાંથી પસાર થતા અકસ્માતનો ભોગ બનશે કે ડુબશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની નહીં. પરંતુ નાગરિકની પોતાની રહેશે.. મનપા કમિશનરે આ સત્તાવાર જાહેરાત કરીને જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લીધા હોય તેવુ લાગી રહ્યું છે. ચોમાસાની સિઝન દરમિયાન શહેરના તમામ 25 જેટલા અંડરબ્રિજમાં પાણી ભરાય જાય છે.. ત્યારે મહાનગરપાલિકાએ વાહનચાલકોને અગાઉથી જ કડક ચેતવણી આપી છે કે પાણી ભરાયેલા અંડરપાસમાંથી પસાર થવું અત્યંત જોખમી છે.. જો કોઈ વાહન ચાલક જોખમ ખેડીને અંડરબ્રિજમાં જશે તો તેની કોઈ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે નહીં. પ્રશાસનની આ જ નીતિ સામે નાગરિકોમાં ભારે રોષ છે.. કારણ કે વેરો વસુલતુ મનપા પ્રશાસન સુવિધા આપવાને બદલે મોતના કૂવા સમાન બનેલા અંડરબ્રિજની જવાબદારી નાગરિકો પર ઢોળી રહ્યું છે..




















