Seventh Day School Controversy: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારી!
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની સુરક્ષાને લઇને ફરી એકવાર સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ કે ફરી એકવાર અહીં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે. વિદ્યાર્થીએ ક્લાસના મોનિટરને બાથરૂમમાં માર માર્યાની ઘટના બની છે. આટલું જ નહીં બ્લેડ વડે મોનિટર વિદ્યાર્થીના બટન પણ તોડી નાખ્યા હતા. આ ઘટના બાદ ત્રણ વિદ્યાર્થી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ લાઇનમાં ઊભા રહેવાનું કહેતાં મોનિટર સાથે 3 વિદ્યાર્થી ઝઘડ્યાં હતા, ઉગ્ર બોલાચાલી બાદ મોનિટરને બાથરૂમમાં માર માર્યો હતો. મારામારીની ઘટનાને પગલે DEO કચેરીની ટીમ સ્કૂલ પર પહોંચી હતી. DEOએ સ્કૂલના પ્રિન્સિપાલ અને એડમિનને નોટિસ ફટકારી હતી.
ઉલ્લેખનિય છે કે,સેવન્થ ડેમાં બનેલી વિદ્યાર્થિની હત્યાની અતિ કરૂણ ઘટના બાદ વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે સરકારે પગલા લેતા અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ સરકારી નિયંત્રણ હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની મર્ડરની ઘટના બની હતી. વિદ્યાર્થીને લોહી લૂહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વાલીઓનો આક્રોશ સ્વાભાવિક છે. આ ધટનાથી સેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉભા થયા હતા. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને વાલીઓમાં ચિંતા વ્યાપી ગઇ હતી. વિદ્યાર્થિની સુરક્ષા મુદ્દે વાલીઓએ મેનેજમેન્ટ સામે વેધક સવાલો કર્યાં હતા. આખરે વિદ્યાર્થીઓના હિતને ધ્યાન લઇને સરકારે શાળાનો વહીવટ હસ્તગત કર્યો છે.


















