Ambalal Patel Rain Prediction : નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદ બોલાવશે રમઝટ , અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Rain Prediction : નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદ બોલાવશે રમઝટ , અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel rain forecast: નવરાત્રિના શુભ અવસરે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેલૈયાઓ માટે મહત્ત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 25મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત્ છે, જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓ રાહત અનુભવી શકે છે. જોકે, 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જે નવરાત્રિના છેલ્લા દિવસોની મજા બગાડી શકે છે.
ગરબાના પ્રારંભિક દિવસોમાં રાહત
અંબાલાલ પટેલની (Ambalal Patel Rain Prediction) આગાહી મુજબ, આગામી 2 દિવસ એટલે કે 25મી સપ્ટેમ્બર સુધી હવામાન ગરબાના આયોજન માટે અનુકૂળ રહેશે. આ સમયગાળામાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદની શક્યતા નહિવત્ છે. જોકે, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે, પરંતુ તે ગરબાના આયોજનમાં મોટી અડચણ ઊભી કરે તેવી શક્યતા ઓછી છે. આ આગાહીથી ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે (Ambalal Patel) જે આગાહી કરી છે તે મુજબ, 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર સુધી મેઘરાજા ગુજરાતમાં ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે. નવરાત્રિના છેલ્લા અને સૌથી મહત્ત્વના દિવસોમાં વરસાદ પડવાથી ખુલ્લા મેદાનો અને શેરી ગરબાના આયોજનો પર મોટી અસર પડી શકે છે. જો આ આગાહી સાચી પડશે તો ગરબાના આયોજકોને આખરી રાસ અને વિદાય ગરબાનું આયોજન કરવામાં મુશ્કેલી પડી શકે છે. આથી, ખેલૈયાઓ અને આયોજકોએ આ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે.





















