Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી

Continues below advertisement

Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી

રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની થઈ ધામધૂમથી ઉજવણી.. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. સવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. સાથે જ મંદિરમાં વિધિવત રીતે પૂજા અર્ચના કરીને ગૌમાતાને ઘાસચારો ખવડાવીને આશીર્વાદ લીધા. બાદમાં નારણપુરા વિસ્તારમાં પરિવાર અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવવાની મજા માણી.  અમિત શાહે પતંગ ચગાવતા જ શરૂઆતમાં બે પતંગ કપાઈ ગઈ હતી. ત્રીજા પ્રયાસે અમિત શાહે પેચ લગાવીને સામેની પતંગ કાપી હતી. અમિત શાહની સાથે તેમની પત્ની સોનલબેન શાહ, પુત્ર જય શાહ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા. નારણપુરા બાદ અમિત શાહ નવા વાડજ વોર્ડ પહોંચ્યા. જ્યાં આસ્થા ઓપલ સોસાયટીમાં અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી. નારણપુરા વિસ્તારમાંઆવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રિ-ડેવલપમેન્ટ થનાર સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના આવાસોનું અમિત શાહે ભૂમિપૂજન કર્યુ. સાથે જ રિડેવલપમેન્ટના લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola