Amit Chavda : ભાજપના વડવા અંગ્રેજોની દલાલી કરતા, વંદે માતરમ અંગે ભાજપ પર કોંગ્રેસનો પલટવાર
Amit Chavda : ભાજપના વડવા અંગ્રેજોની દલાલી કરતા, વંદે માતરમ અંગે ભાજપ પર કોંગ્રેસનો પલટવાર
વંદે માતરમ અંગે ભાજપ પર કોંગ્રેસનો પલટવાર. અમિત ચાવડાએ ભાજપ પર લગાવ્યા આરોપ. ભાજપના વડવાઓ અંગ્રેજોની કરતા દલાલી. RSS હેડ ક્વાર્ટર પર આઝાદીથી આજ સુધી તિરંગો લહેરાવાયો નથી. RSSના કોઈ આગેવાને આઝાદીની લડાઈમાં પરસેવાનું ટીપું નથી પાડ્યું. ભાજપને વંદે માતરમ્ કે આઝાદી મુદ્દે બોલવાનો અધિકાર નથી.
મુખ્યમંત્રીના સંકલ્પ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પર કર્યા વાર.. કેટલાક ચોક્કસ પાર્ટીના લોકોને નફરત છે, હતી અને બદલાવ આવે તેવું લાગતું નથી.. જે ગીત ગાયને ક્રાંતિવીરો ફાંસીએ ચડ્યા તે ગીત ગાવામાં ભારતીયોને શું વિરોધ હોય..જનતા જોઈ રહી છે કે કોણ ભારતમાતાનો જયકારો કરે છે અને કોણ તુષ્ટીકરણની રાજનીતી કરે છે. વંદેમાતરમ ગાવાનું થાય ત્યારે લોકસભામાં કોંગ્રેસના લોકો સદનની બહાર નીકળી જાય છે..1937માં મુસ્લિમ લીગના દબાણના કારણે વંદેમાતરમ ગીતના ટુકડા કરવામાં આવ્યા.. દેશના થયેલા ભાગલાનુ બીજ રોપાયું હતું. કોંગ્રેસે મુસ્લિમ લીગના દબાણમાં આ કર્યું.. મુસ્લિમો નારાજ થશે માટે વંદેમાતરમ ગીત યોગ્ય નથી તેવું કહેવાયું હતું.. તો હર્ષ સંઘવીને કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જવાબ આપ્યો..























