IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય
રાજ્યમાં 37 આઈપીએસની કરાઈ બદલી. નિર્લિપ્ત રાયને SMCમાંથી વિદાય આપીને રાજકોટ રેન્જ IG બનાવાયા છે. સાથે જ શમશેર સિંઘને નિવૃત્તિના આરે પોસ્ટિંગ અપાયું છે.શમશેર સિંઘને ડિરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના રેંજ આઈજી અશોક કુમારને CID ગાંધીનગરમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બદલી કરાઈ...ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે ગૌતમકુમાર પરમારની CID ક્રાઇમ ગાંધીનગરમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બદલી કરવામાં આવી. રાઘવેન્દ્ર વત્સાને અમદાવાદ રેન્જના IG તરીકે, નિલેશ જાજડીયાને વડોદરા શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે, બિપિન આહિરને ગાંધીનગરમાં સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં IG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા..અમદાવાદ શહેરમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. એ.જી. ચૌહાણને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અને એન.એન.ચૌધરીને ઇન્ટેલિજન્સ-2 ગાંધીનગરમાં IG તરીકે મુકવામાં આવ્યા. અમદાવાદ શહેર ટ્રાફિક JCP એન.એન ચૌધરીની ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં IG તરીકે બદલી કરવામાં આવી છે...મહેન્દ્ર બાગરિયાને સુરત શહેર સેક્ટર-2ના એડિશનલ પોલીસ કમિશનર તરીકે અને કરનરાજ વાઘેલાને સુરત શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે..બનાસકાંઠાની નવી રેન્જ ઊભી કરાઈ છે, જેમાં IG તરીકે પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.





















