BIG News: ટેકાના ભાવે ખરીદીને લઈ સૌથી મોટા સમાચાર, આ તારીખથી શરૂ થશે ખરીદી
ગુજરાત સરકાર રાજ્યમાં નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. મગફળીની ટેકાના ભાવે ખરીદી નવ નવેમ્બરથી શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી હતી. તેમણે આર્થિક સહાય માટે ખેડૂતોની પડખે ઉભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકાર સોયાબીન, મગ, અળદની ટેકાના ભાવે 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકાર કરે છે. મગફળી માટે 9 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેટલી મગફળી ખરીદાશે તે અંગે પણ સરકાર આજે નિર્ણય જાહેર કરી શકે છે. સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
નોંધનીય છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટેની સૂચનાઓ પણ આપી હતી.


















