Maha Shivratri 2026: હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો, વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
આજે શિવ અને શક્તિના મિલનનું પાવન પર્વ મહાશિવરાત્રિ છે. મહાશિરાત્રિના આ પાવન પર્વે સમગ્ર માહોલ શિવમય બન્યો છે. દેશભરના શિવાલયમાં મહાદેવે અભિષેક અને પૂજા ચઢાવવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
મહાશિવરાત્રીના અવસરે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી ગયા હતા. સમગ્ર મંદિર 'જય જય ભોલે' અને 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું છે.મંદિરમાં આસ્થા, ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. શિવલિંગ પર જલાભિષેક અને દૂધનો અભિષેક કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
જૂનાગઢના ભવનાથ મંદિરમાં પણ ભક્તોની ભીડ સવારથી જોવા મળી રહી છે. જેના દર્શન થકી ભવ તરી જાય તેવા ભવનાથના દર્શને ભક્તો સવારથી ઉમટ્યાં છે. જૂનાગઢમાં શિવરાત્રિનો મળે અને ભવનાથના વિશેષ શૃંગાર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્રસ્થાન બનતા મોટી સંખ્યામાં ભાવિકોનો જમાવડો જોવા મળી રહ્યાો છે. ગુજરાત સહિત દેશભરમાંથી આજે લાખો ભક્તો ભવનાથ પહોંચ્યા છે.
આજે દેવાધિદેવ દેવ મહાદેવનો મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના પાવન અવસરે અમદાવાદ શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. વહેલી સવારથી જ બમ બમ ભોલે અને હર હર મહાદેવના શિવાલયોમાં નાદ ગુંજ્યા. ત્યારે એબીપી અસ્મિતા પહોંચ્યું બિલેશ્વર મહાદેવ... જ્યાં વહેલી સવારથી ઉમટ્યું છે ભક્તોનું ઘોડાપૂર. ભોળાનાથને શિવભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક કરીને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજના દિવસે ભોળિયાનાથના ચાર પ્રહરની પૂજા થાય છે. જેમાં મોટીં સંખ્યામાં ભક્તો ભાગ લેતા હોય છે... આજે દર્શનાર્થે આવતા ભક્તોને અપાઈ રહ્યો છે ઠંડાઈનો પ્રસાદ. મંદિર તરફથી ભક્તો માટે પ્રસાદી રૂપે 1200 લીટર ઠંડાઈનો પ્રસાદ કરાયો છે તૈયાર.






















