Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયા. ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી. આગના કારણે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ જોવા મળી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરવો પડ્યો. અંકલેશ્વર અને પાનોલી ફાયર સ્ટેશનમાંથી પાંચથી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. સાથે જ અન્ય વિસ્તારોમાંથી પણ ફાયરની ટીમ બોલાવાઈ. કંપનીમાં કામ કરતા 80થી વધુ કામદારોને સુરક્ષિત બહાર કઢાયા..જ્યારે 3 કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે.. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પણ આગના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયાનો અંદાજ છે.





















