Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

Continues below advertisement

હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના નિપજ્યા મોત છે. ખેતરમાં કામ કરતા સમયે ટ્રોલી સાથે વીજ તારને અડકતા ટ્રેક્ટરમાં સવાર ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ખેડૂત પરિવારના ચાર સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના નીચા તાર ટ્રેક્ટરની ટ્રોલીને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ પ્રસર્યો હતો. આ દુર્ઘટનામાં કાળુભાઈ પ્રજાપતિ અને સરોજબેન પ્રજાપતિનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં UGVCL સામે ભારે રોષ છે. ખેડૂતોનો આરોપ છે કે વિસ્તારમાં નીચા લટકતા વીજ તાર અંગે અગાઉ અનેક રજઆતો કર્યા છતાં રિપેરિંગ કરવાની કોઈ કાર્યવાહી કરાતી નથી. ABP અસ્મિતાના રિયાલિટી ચેકમાં પણ અનેક જગ્યાએ જોખમી વીજવાયરલ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola