Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
ત્વિશા મોત કેસમાં ગુરૂવારના CBIએ રિટાયર્ડ જજ અને ત્વિશા શર્માની સાસુ ગિરિબાલ સિંહની 7 કલાક સુધીની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી લીધી હતી. આજે CBIની ટીમ સાસુ ગિરિબાલાને કોર્ટ સમક્ષ રજૂ કરશે. બીજી તરફ મુખ્ય આરોપી સમર્થ સિંહની CBI કસ્ટડી પણ આજે પૂર્ણ થઈ રહી છે. કસ્ટડી પૂર્ણ થયા બાદ CBI કોર્ટમાં રજૂ કરશે અને હજુ આરોપીની વધુ પૂછપરછ માટે કસ્ટડી વધારવાની માંગ કરી શકે છે.
સીબીઆઈએ 25 મેની રાત્રે આ કેસમાં ઔપચારિક એફઆઈઆર દાખલ કરી હતી. 26 મેના રોજ સીબીઆઈ ટીમે સૌપ્રથમ બાગ મુગલિયા એક્સટેન્શનમાં ગિરિબાલા સિંહના ઘરની મુલાકાત લીધી હતી. ત્યાં અધિકારીઓએ લગભગ બે કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. સીબીઆઈ હવે ટનલ વ્યૂ તપાસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. એજન્સી ત્વિશાના અંતિમ કલાકોનું વર્ચ્યુઅલ રિક્રિએશન બનાવી રહી છે, જેથી ઘટના પહેલા અને પછીની દરેક મિનિટ-દર-મિનિટની પ્રવૃત્તિને સમજી શકાય. ત્વિશા શર્માનું 12 મેની રાત્રે ભોપાલ સ્થિત સાસરીમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસ ભોપાલ પોલીસે કરી હતી પરંતુ પરિવારે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. મામલો ગરમાયા બાદ તેને સીબીઆઈને સોંપવામાં આવ્યો.






















