Stray Dogs Case Verdict: રખડતા શ્વાનને લઇને સુપ્રીમ કોર્ટેનો મહત્વનો આદેશ
સુપ્રીમ કોર્ટે શેરીના રખડતા શ્વાન અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, રખડતા કૂતરાઓને હટાવવાનો પહેલાનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. રખડતા કૂતરાઓ સંબંધિત 2025નો જૂનો આદેશ જ અમલમાં રહેશે. સાથે જ કોર્ટે એનિમલ વેલફેર બોર્ડ દ્વારા દાખલ કરાયેલા તમામ અરજીઓ પણ ફગાવી દીધી.
રખડતાં કૂતરાઓ સંબંધિત વિવિધ અરજીઓ પર સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું કે આ મામલો જાહેર આરોગ્ય અને સુરક્ષાથી જોડાયેલો છે.કોર્ટે નોંધ્યું કે, શેરીના કૂતરાઓના હુમલાની સમસ્યા ચિંતાજનક બની રહી છે, દેશમાં રેબીઝના કારણે અનેક લોકોના મોત થયા છે, રાજ્યોને Animal Birth Control (ABC) નિયમોનું પાલન કરવું જોઈએ, સુપ્રીમ કોર્ટે 2025ના આદેશમાં ફેરફાર કરવાની ના પાડી અને કહ્યું કે, જૂનો આદેશ જ લાગુ રહેશે.