OM Birla : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદમાં નહીં જાય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
OM Birla : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદમાં નહીં જાય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
લોકસભા સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય. પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદ નહીં જાય ઓમ બિરલા. અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદ નહીં જાઉ. 9 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર થઇ શકે ચર્ચા. લોકસભા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવની વિપક્ષની નોટિસ. કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોએ પ્રસ્તાવની નોટિસ આપી. કોંગ્રેસે લોકસભાના સચિવાલયને મોકલી છે નોટિસ. અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર વિપક્ષના 118 સાંસદોની સહી.
લોકસભામાં વિપક્ષે નિયમ 94(c) હેઠળ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લોકસભા સેક્રેટરી જનરલને સુપરત કરી છે. આ નોટિસ પર 118 સાંસદોના હસ્તાક્ષર છે, જે કોંગ્રેસ, સપા, ડાબેરી અને આરજેડી સહિત લગભગ તમામ વિપક્ષી પક્ષોનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, ટીએમસીએ નોટિસથી પોતાને દૂર રાખ્યા છે.
કૉંગ્રેસે લોકસભાના મહાસચિવને સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સુપરત કરી છે. અગાઉ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં ગતિરોધ ખતમ કરવાના પ્રયાસમાં તમામ પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક યોજી હતી.























