Mansukh Vasava : મારા બદલે સારા કાર્યકરોને ચૂંટણી લડવાનો મોકો મળે, વસાવાનું મોટું એલાન
Mansukh Vasava : મારા બદલે સારા કાર્યકરોને ચૂંટણી લડવાનો મોકો મળે, વસાવાનું મોટું એલાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મનસુખ વસાવાનું મોટું એલાન. ભાજપના સાંસદ મનસુખ વસાવાની લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત. મારા બદલે સારા કાર્યકરોને ચૂંટણી લડવાનો મોકો મળે. મારી સાત ટર્મ પૂર્ણ થઈ છે. હવે બીજાને તક મળવી જોઈએ. અગાઉ જ બીજો વિકલ્પ તૈયાર કરવો જોઈએ. ચૂંટણી આવે ત્યારે જ નિયમો લાગૂ કરવાથી પાર્ટીને યોગ્ય ઉમેદવાર મળતા નથી. અગાઉથી જ પાર્ટીએ પ્લાનિંગ કરવું જોઈએ.
મનસુખ વસાવાએ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, "મેં સાંસદ તરીકે મારી 7 ટર્મ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હવે સમય આવી ગયો છે કે મારા સ્થાને પાર્ટીના અન્ય સારા અને સક્ષમ કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની તક આપવામાં આવે."
આ ઉપરાંત, તેમણે પાર્ટી હાઈકમાન્ડને પણ એક મહત્વની સલાહ આપતા કહ્યું કે પાર્ટીએ હંમેશા અગાઉથી જ બીજો વિકલ્પ તૈયાર રાખવો જોઈએ. તેમના મતે, જ્યારે ચૂંટણી માથા પર આવે ત્યારે જ નવા નિયમો લાગુ કરવાથી પાર્ટીને યોગ્ય અને જીતાડી શકે તેવા ઉમેદવારો મળતા નથી. આથી, ભવિષ્યમાં સારા ઉમેદવારો શોધવા માટે પાર્ટીએ અત્યારથી જ એડવાન્સ પ્લાનિંગ કરવું જોઈએ.





















