Rajkot Mega Demolition : રાજકોટમાં મેગા ડિમોલિશન પહેલા 500 લોકોનું સ્યંભૂ સ્થળાંતર

Continues below advertisement

Rajkot Mega Demolition : રાજકોટમાં મેગા ડિમોલિશન પહેલા 500 લોકોનું સ્યંભૂ સ્થળાંતર

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનું કાઉન્ટડાઉન. કાલે જંગલેશ્વરમાં હાથ ધરાશે સૌથી મોટું ડિમોલિશન. પોલીસ ઉપરાંત એસઆરપી,અર્ધલશ્કરી દળના જવાનો રહેશે તહેનાત. પોલીસ જવાનોએ જંગલેશ્વર વિસ્તારમાં કર્યું ફુટ પેટ્રોલિંગ. જંગલેશ્વર વિસ્તારમાં 3 હજાર જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા. શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી થાય તેવા પ્રયાસો. ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર વિસ્તાર પર રખાઈ રહી છે નજર.

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનું કાઉન્ટડાઉન. અત્યાર સુધી 700થી વધુ પરિવારે જાતે જ મકાનો ખાલી કર્યા. અત્યાર સુધી 1400માંથી 700 મકાનો ખાલી થયા. આવતીકાલે જંગલેશ્વરમાં હાથ ધરાશે મેગા ડિમોલિશન. 64 JCB, ટ્રેકટર,ટ્રોલી સહિતના વાહનો પહોંચ્યા. બે દિવસ સુધી ચાલશે ડિમોલિશનની કામગીરી.

23 ફેબ્રુઆરીએ સવારથી 1492 જેટલાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવાશે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાશે. આજી નદી પટ્ટમાં આશરે 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે, આજી નદી પટ્ટા વિસ્તાર આશરે કુલ મળીને આશરે 87,000 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા 1489 જેટલા મકાનો સહિતનું બાંધકામ તબક્કાવાર દૂર કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola