Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
રાજકોટ મહાનગરપાલિકાએ 11થી વધુ નાના મંદિરોનું ડિમોલિશન કરતા ગરમાઈ રાજનીતિ. શહેર કૉંગ્રેસે આજે ત્રિકોણબાગ પર અનોખી રીતે કર્યો વિરોધ.. કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભગવાન હનુમાનજીની તસવીર, પ્લાસ્ટિકની ગદા સાથે રામધૂન બોલાવી ધરણા કરીને રોષ વ્યક્ત કર્યો.. શહેર કૉંગ્રેસનો આરોપ છે કે ભગવાન રામના નામે મત લઈને જીત હાસલ કરનાર ભાજપે કામની શરૂઆત હનુમાનજીના મંદિર તોડવાથી કરી છે.. ત્યારે શહેરીજનોએ ભાજપ પાસે જવાબ માગવો જોઈએ કે ભાજપના ઈશારે મનપા પ્રશાસન ધાડપાડુઓની જેમ મોડી રાત્રે કેમ ત્રાટક્યું.. શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનો આરોપ છે કે કેન્દ્ર, રાજ્ય અને રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની સરકાર છે.. જે માત્ર રામના નામે મત માગે છે.. અને બીજી તરફ જનતાની આસ્થા સાથે જોડાયેલા મંદિરોને તોડી રહી છે.. લોકશાહીમાં બંધારણે આપેલા હક મુજબ રાજકોટની જનતાએ પોતાના પ્રતિનિધિઓ, ધારાસભ્ય કે સાંસદને ફોન કરીને પુછવુ જોઈએ કે અડધી રાતે હનુમાનદાદાનું મંદિર તોડવાનું કારણ શું છે..






















