Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Continues below advertisement
રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે મારામારીમાં એક યુવકે ગુમાવ્યો જીવ...લોહી સમયસર ન મળતા નેપાળી યુવકનું મોત. મારામારીની ઘટનાની તપાસ માટે સિવિલ સુપ્રીટેન્ડેન્ટે તપાસ સમિતિની કરી રચના
રાજકોટ સિવિલના ન્યુરો સર્જન વિભાગમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ. સિવિલમાં સારવાર લઈ રહેલા વિનય થાપા નામના નેપાળી યુવકનું નિપજ્યું મોત. વિનય થાપાના મોતથી નેપાળી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. નેપાળી સમાજના ઉપપ્રમુખે તબીબ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવી તપાસ કરવાની માગ કરી. તો સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ RMO ડોક્ટર એમ.એસ.રોયે દર્દીની યોગ્ય સારવાર થઈ હોવાનો દાવો કર્યો.. સાથે જ તપાસ કમિટીની રચના કરવાની પણ ખાતરી આપી..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement