Rajkot Mega Demolition: આજી નદી કિનારે ‘ઓપરેશન જંગલેશ્વર’ તેજ, PGVCLએ કાપ્યા કનેક્શન, 992 મકાનો તોડાશે
રાજકોટના જંગલેશ્વરમાં સ્વૈચ્છિક દબાણો ખાલી કરનારાને પ્રશાસનનો સહકાર. સામાન ફેરવવા માટે મહાનગરપાલિકાએ કરી આપી ટ્રેક્ટરની વ્યવસ્થા. વર્ષોથી વસવાટ કરતા લોકો પણ ખાલી કરી રહ્યા છે મકાન.. આજી નદી કિનારે ‘ઓપરેશન જંગલેશ્વર’ તેજ.. ડિમોલેશન પૂર્વે PGVCLએ વીજ કનેક્શન કાપ્યા. આવતીકાલે 992 મકાનો પર ફરશે બુલડોઝર.. રાજકોટ હાઇવે બાયપાસથી 80 ફૂટના રોડ બ્રિજ સુધી થશે ડિમોલિશન. કાર્યવાહી બાદ ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિ અટકાવી શકાશે..
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનું કાઉંટડાઉન શરૂ થઇ ગયું છે. ડિમોલિશનને લઇને તંત્રએ સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ઉલ્લેખિય છે કે, 23 ફેબ્રુઆરી સોમવારે સવારે 8 વાગ્યે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન શરૂ થશે, મેગા ડિમોલિશનને લઈ જંગલેશ્વર પોલીસ છાવણીમાં ફેરવાય ગયું છે જંગલેશ્વરમાં ડિમોલિશન માટે પોલીસનો જબરજસ્ત એક્શન પ્લાનનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
જંગલેશ્વર વિસ્તારને અલગ અલગ સાત ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીનનો ડિમોલિશન માટે ઉપયોગ કરવામાં આવશે, 50 બ્રેકર, 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે માઈક્રો પ્લાનિંગ કરાયું છે. સમગ્ર સ્થિતિ પર નજર રાખવા વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે. 1,130થી વધુ સ્ટાફ તૈનાત કરવામા આવ્યો છે. ડિમોલિશન દરમિયાન લગભગ 1500 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે.
23 ફેબ્રુઆરીએ સવારથી 1492 જેટલાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવાશે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાશે. આજી નદી પટ્ટમાં આશરે 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે, આજી નદી પટ્ટા વિસ્તાર આશરે કુલ મળીને આશરે 87,000 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા 1489 જેટલા મકાનો સહિતનું બાંધકામ તબક્કાવાર દૂર કરવામાં આવશે.























