Padminiba Wala join AAP: ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં
Padminiba Wala join AAP: ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં
Padminiba Wala joins AAP: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને પક્ષપલટાની મોસમ ખીલી છે. રાજકોટમાં આજે (7 એપ્રિલ) રાજકીય માહોલ ત્યારે વધુ ગરમાયો જ્યારે રાજ્યવ્યાપી ક્ષત્રિય આંદોલનનો અગ્રણી ચહેરો રહેલા પદ્મિનીબા વાળા વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ ગયા. રાજકોટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં AAP ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં તેમણે પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની 'આપ'ની ગેરંટી યોજનાથી પ્રભાવિત થઈને તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. ચૂંટણી પહેલા થયેલા આ જોડાણથી સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્યમાં ચાલેલા ક્ષત્રિય આંદોલન વખતે પદ્મિનીબા વાળાએ સરકાર સામે ખુલીને બાથ ભીડી હતી. આંદોલનમાં તેમની આક્રમક અને સક્રિય ભૂમિકાને કારણે તેઓ રાતોરાત આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા હતા. AAP માં જોડાવા પાછળનું કારણ સ્પષ્ટ કરતા પદ્મિનીબાએ જણાવ્યું કે, પાર્ટીની દર મહિને 1000 રૂપિયા આપવાની યોજનાથી તેઓ ખૂબ જ પ્રેરાયા છે. વધુમાં તેમણે કહ્યું કે, તેઓ જનતાની સાચા અર્થમાં સેવા કરવા અને લોકો પર થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જ સક્રિય રાજકારણના આ મંચ પર આવ્યા છે.






















