Surat Demolition Mystery : સુરતમાં ભૂતિયા ડિમોલિશનકાંડમાં મોટા સમાચાર
સુરતના નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન વિવાદની કેન્દ્ર સરકારે લીધી ગંભીર નોંધ.. આ કેસમાં હવે સીધી PMOની નજર મંડાતા સમગ્ર રાજ્યના વહીવટી પ્રશાસનમાં ભૂંકપ આવી ગયો છે. ભૂતિયા ડિમોલિશન વિવાદ મુદ્દે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ.નાગરાજનને દિલ્લીનું તેડુ આવ્યું છે.. દિલ્લીથી તેડુ આવતા મનપા કમિશનર એમ.નાગરાજન તમામ સરકારી કાર્યક્રમો પડતા મુકીને દિલ્લી પહોંચી ગયા છે.. તો બીજી તરફ ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે રચાયેલી કમિટીએ પણ તપાસ શરૂ કરી છે.. સીટી સર્વે ઓફિસમાં તપાસ કમિટીના સભ્યોએ તપાસ કરી છે.. નાસીરનગરમાં રસ્તો ક્યાંથી નીકળે છે તેની તપાસ કરવામાં આવી રહી છે.. કમિટીની તપાસ દરમિયાન મનપાના અધિકારીઓ પણ સીટી સર્વે ઓફિસમાં જોવા મળ્યા.
નાસીરનગરમાં થયેલા ભુતિયા ડિમોલિશન મુદ્દે ભાજપના એક નેતાએ પોતાના સોશલ મીડિયા પર પોસ્ટ કરીને બફાટ કર્યો.. પ્રદેશ ભાજપના બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ પોતાના સોશલ મીડિયા પર એક બાદ એક વિવાદીત પોસ્ટ મુકી.. ભુતિયા ડિમોલિશન મુદ્દે મુકેશ ગુજરાતીએ પોસ્ટમાં લખ્યું કે જેમને આ ડિમોલિશન ખોટુ લાગતુ હોય તે પોતાની મિલકતમાં ઝુંપડા બનાવી આપી..ઝુંપડા તોડવાનો વિરોધ ન હોવો જોઈએ.. આમા રાજકીય રોટલા શેકવાની ગંધ આવે છે.. ભુતિયા ડિમોલિશનને યોગ્ય ઠેરવી મુકેશ ગુજરાતીએ એવી પણ માગ કરી કે આમા કેટલા બાંગ્લાદેશીઓ છે અને કેટલા લોકો પાસે દસ્તાવેજો છે તેની પણ તપાસ થવી જોઈએ..





















