Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું
સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી પૂનમ ભદોરીયાએ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી છે.. ત્યારે આ જ અરજીના વિરોધમાં શુક્રવારે પોલીસ અને મુળ ફરિયાદીના વકીલ કલ્પેશ દેસાઈએ સાત પેજની વિસ્તૃત એફિડેવિટ રજુ રી છે.. પોલીસે કરેલ એફિડેવિટ મુજબ તુષાર ઘેલાણીની કથળતી માનસિક સ્થિતિ જોઈને તેમની બંન્ને દીકરીઓ સ્વયં પૂનમ ભદોરીયાના ઘરે ગઈ હતી. પિતાને હેરાન કરવાનું બંધ કરવા માટે બંન્ને દીકરીઓએ પૂનમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.. સમજાવ્યા છતા પણ પૂનમ કોઈ વાત માનવા તૈયાર નહોતી થઈ. પોલીસનું કહેવું છે કે આર્થિક શોષણના પૂરાવા મળ્યા છે. અને વધુ પણ પૂરાવા મળી શકે તેમ છે. તુષાર ઘેલાણી સાથે પૂનમના 15 વર્ષથી સંબંધ હતા. બે દુકાનો પણ પૂનમના નામે મળી છે.. પૂનમની બહેન પ્રિયા પોલીસ સમક્ષ નિવેદન માટે હાજર થઈ નથી. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આરોપીને જામીન આપવા જોઈએ નહીં તેવી પોલીસે કોર્ટમાં લેખિત રજૂઆત કરી છે.


















