Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
સુરત જિલ્લામાં ધર્માંતરણનું ભૂત ફરી એકવાર જાગ્યું છે. માંડવી બાદ હવે કામરેજના ધર્માંતરણ કરવામાં આવી રહ્યાનો ગંભીર આરોપ લગાવ્યો. કામરેજના ડુંગરા ગામે 25 જેટલા હળપતિ પરિવારોનું ધર્માતરણ કરાવ્યાનો આરોપ લાગ્યો. સુરત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર આપી ગરીબ અને ભોળા આદિવાસીઓને ધર્માંતરણ કરાવનારા શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી...
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધર્માંતરણની પ્રવૃતિના આરોપ સાથે આક્રોશ. કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને હિન્દુ સંગઠનોએ માડ્યો મોરચો સ્થાનિકોનો આરોપ છે કે એક અજાણી વ્યક્તિએ પ્રલોભનો આપીને 25 જેટલા આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દીધા છે. ઘટનાની જાણ થતા જ આજે આદિવાસી સમાજના લોકો અને હિન્દુ સંગઠનોએ ડુંગરા ગામમાં બેઠક યોજીને કથિત ધર્માંતરણની પ્રવૃતિનો વિરોધ કર્યો.. સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને ધર્માંતરણની પ્રવૃતિને અટકાવવાની માગ કરી. સાથે જ ધર્માંતરણ કરનારા શખ્સો વિરૂદ્ધ તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહીની માગ કરી






















