Surat Fire News | કેમિકલ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, પાંચ લોકો ઈજાગ્રસ્ત
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Fire News | કેમિકલ ગોડાઉનમાં લાગી ભીષણ આગ, પાંચ લોકો ઈજાગ્રસ્ત
સુરત શહેરમાં વધુ એક આગની ઘટના બનવા પામી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મકાન પર બનાવેલા (Surat Fire News) પતરાના શેડ પર કેમિકલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સુરતમાં સતત આગના બનાવો બની રહ્યાં છે. ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા પાસે આવેલા વાલમનગર સોસાયટીમાં આગ લાગી ગઈ હતી. વાલમનગર સોસાયટીના મકાનમાં ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવેલો હતો. જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. અને ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતાં આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.