Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ફસાયા વલસાડ જિલ્લાના માછીમારો. મરોલી ગામના 20થી 25 માછીમારો હાલ ખાડી દેશોમાં અટવાતા પરિવારજનો ચિંતિત થયા છે. મરોલીમાં મોટાભાગે માછીમારો વસવાટ કરે છે. ગામના મોટાભાગના પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ માછીમારી કરવા માટે જાય છે. ત્યારે ઈરાન સહિતના અન્ય ખાડી દેશોમાં ગયેલા લોકો અટવાતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. abp અસ્મિતા પર વ્યથા ઠાલવતા અટવાયેલા લોકોના પરિવારજનોએ કહ્યું કે પાંચ દિવસ પહેલા તેમનો સંપર્ક થયો હતો. પરંતુ હવે સ્વજનો સાથે તેમનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. યુદ્ધના માહોલમાં તેમના સ્વજનો તાત્કાલિક પરત ફરે તે માટે પરિવારજનો સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકાર પાસે મદદ કરવાની માગ કરી છે. એટલુ જ નહીં સ્વજનો વહેલા પરત ફરે તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.






















