જ્યોતિષમાં તુલસીના છોડ અને તેના મૂળનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડના મૂળના કેટલાક ઉપાય છે, જેના દ્વારા વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલી શકે છે.

ધાર્મિક પુરાણો અનુસાર તુલસીના મૂળમાં શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે.

કાર્યમાં સતત નિષ્ફળતા મળી રહી હોય તો એવી સ્થિતિમાં વ્યક્તિએ તુલસીના મૂળને થોડું લઈ તેને ગંગાના જળથી ધોઈને તેની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ.

આ પછી તુલસીના મૂળને પીળા રંગના કપડામાં બાંધીને પોતાની પાસે રાખો. આમ કરવાથી તમને તાત્કાલિક લાભ મળશે.

વ્યક્તિની કુંડળીમાં કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ હોય અને તે તેનાથી પરેશાન હોય તો તુલસીની પૂજા કરો અને તેનું થોડું મૂળ કાઢી લો.

આ પછી તેને લાલ રંગના કપડામાં બાંધો અથવા તેને તાવીજમાં મૂકીને તમારા હાથ પર બાંધો. આમ કરવાથી જલ્દી જ તમને ગ્રહ દોષોથી છુટકારો મળશે.

આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તેમણે રોજ સવારે તુલસીને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજે દીવો કરવો જોઈએ.

આ સિવાય તમે ચાંદીના તાવીજમાં તુલસીના મૂળ નાખીને તમારા ગળામાં પહેરી શકો છો.

આમ કરવાથી તમને જલ્દી જ પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે અને આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.