અભિનેત્રી અદિતિ શર્મા લગ્નના ફક્ત ચાર મહિના પછી છૂટાછેડા લેવા જઈ રહી છે.



આ વાતનો ખુલાસો તેમના પતિ અભિનીત કૌશિક અને તેમના વકીલે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.



અભિનીત કૌશિકના જણાવ્યા અનુસાર, અદિતિ શર્માએ 12 નવેમ્બર 2024ના રોજ ગોરેગાંવ સ્થિત તેના ઘરે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.



અદિતિએ પોતાના લગ્ન ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી કારણ કે તેને પોતાના કરિયરની ચિંતા કરતી હતી.



ઇન્ડિયન ફોરમ્સ સાથેની એક મુલાકાતમાં અભિનીત કૌશિકે કહ્યું, છેલ્લા દોઢ વર્ષથી તે મારા પર લગ્ન માટે દબાણ કરી રહી હતી.



તેણે કહ્યું કે હું તેના માટે તૈયાર નહોતો પરંતુ ઘણી સમજાવટ પછી હું સહમત થયો હતો.



વકીલે વધુમાં જણાવ્યું હતું કે લગ્ન પહેલા બંને થોડા વર્ષોથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા.



અભિનીતના વકીલનું કહેવું છે કે અદિતિ અને સહ-કલાકાર સમર્થ્ય ગુપ્તા વચ્ચે અફેર ચાલી રહ્યું છે.



બંનેએ કહ્યું કે અદિતિ અને તેના પરિવારે અલગ થવા માટે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી.



All Photo Credit: Instagram