સરગવાનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે

તેમાં સંતરા કરતા વધુ વિટામિન C, ગાજર કરતા વધુ વિટામિન A અને દૂધ કરતા વધુ કેલ્શિયમ જોવા મળે છે.

તેનું સૂપ ઇમ્યુનિટી વધારે છે, સાંધાના દુખાવામાં રાહત આપે છે અને પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

સૌથી પહેલા સરગવાની શિંગોને બરાબર ધોઈ લો, તેના ટુકડા કરી લો અને ઉપરના રેશા કાઢી નાખો

એક કુકરમાં સરગવાના ટુકડા, ટામેટાં, ડુંગળી, આદુ અને લસણ નાખીને 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી બરાબર બાફી લો.

બફાયેલી શિંગોને વચ્ચેથી ચીરીને ચમચીની મદદથી તેનો બધો જ પલ્પ બહાર કાઢી લો.

આ પલ્પ અને કુકરમાં બાફેલી અન્ય શાકભાજીઓને મિક્સરમાં બરાબર પીસી લો

તૈયાર થયેલા મિશ્રણને ગરણીથી બરાબર ગાળી લો જેથી વધારાના રેશા નીકળી જાય અને સૂપ એકદમ સ્મૂધ બને.

ગાળેલા સૂપને એક તપેલીમાં લઈને ઉકાળો. તેમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર અને શેકેલું જીરું ઉમેરો.

સ્વાદ વધારવા માટે તમે ઘી અને જીરાનો વઘાર કરી શકો છો. છેલ્લે લીંબુનો રસ ઉમેરીને ગરમા-ગરમ પીરસો.