સોશિયલ મીડિયાના ટ્રેન્ડને જોઈને શરીરની તાસીર જાણ્યા વગર ઉનાળામાં ગરમ પાણી પીવું જોખમી હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ મુજબ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, તેથી કોઈ પણ ઘરેલું નુસખા આડેધડ અપનાવવા જોઈએ નહીં.

Published by: gujarati.abplive.com

સવારે ગુંગણું (નવશેકું) પાણી પીવું (ઉષાપાન) પાચન અગ્નિ સક્રિય કરે છે અને શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

ઉનાળાની ઋતુમાં વાતાવરણમાં 'પિત્ત' વધે છે, જે ગરમ પાણી પીવાથી શરીરમાં વધુ ગરમી પેદા કરી શકે છે.

Published by: gujarati.abplive.com

ગરમીમાં સતત ગરમ પાણી પીવાથી એસિડિટી, છાતીમાં બળતરા અને મોઢામાં છાલા પડવાની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જે લોકોની પ્રકૃતિ પહેલેથી જ પિત્તવાળી હોય, તેમણે ઉનાળામાં ગરમ પાણી પીતા ખાસ સાવચેતી રાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com

અતિશય ગરમ પાણી પીવાથી મોઢા અને આંતરડામાં રહેલા 'સારા બેક્ટેરિયા'નું સંતુલન બગડવાની શક્યતા રહે છે.

Published by: gujarati.abplive.com

અલ્સર અને એસિડ રિફ્લક્સના દર્દીઓ માટે ગરમ પાણી પેટની અંદરની નરમ પડને નુકસાન પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં દરરોજ ગરમ પાણી પીવાને બદલે ક્યારેક જ અથવા માત્ર નવશેકું પાણી પીવું વધુ સલામત વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

હંમેશા તમારી શારીરિક સ્થિતિ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખીને અથવા નિષ્ણાત ડૉક્ટરની સલાહ મુજબ જ આદતો બદલો.

Published by: gujarati.abplive.com

(નોંધ: આ સમાચાર સામાન્ય જાણકારી પર આધારિત છે. વ્યક્તિગત આરોગ્ય સમસ્યાઓ માટે લાયક તબીબની સલાહ લેવી જરૂરી છે.)

Published by: gujarati.abplive.com