ચોમાસું શરૂ થઈ ગયું છે. આ ઋતુ ગરમીથી રાહત આપે છે.પરંતુ અનેક રોગોનું જોખમ વધી જાય છે. તેમાંથી એક ચિકનગુનિયા છે.



આ રોગ વરસાદની ઋતુમાં ઝડપથી ફેલાય છે. તે એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે



વરસાદ દરમિયાન ઘરોની આસપાસ પાણી જમા થાય છે. આ મચ્છરો માટે યોગ્ય સ્થળ બની જાય છે.



ચિકનગુનિયા કોઈ નવો રોગ નથી, પરંતુ દર વર્ષે તેનું જોખમ વધી રહ્યું છે.



આ રોગના લક્ષણોમાં ખૂબ તાવ, સાંધામાં સોજો અને દુખાવો, માથાનો દુખાવો, થાક અને શરીર પર ફોલ્લીઓ સામેલ છે.



વરસાદની ઋતુ શરૂ થતાં જ મચ્છરો ઝડપથી પ્રજનન કરવાનું શરૂ કરે છે. આ સમય દરમિયાન ઘણી જગ્યાએ વરસાદનું પાણી એકઠું થાય છે.



આ પાણીમાં એડીસ મચ્છર ઝડપથી પ્રજનન કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં ચિકનગુનિયા ફેલાવાનું જોખમ વધી જાય છે.



માથાનો દુખાવો, ચક્કર, સતત સાંધાનો દુખાવો, તાવ, થાક લાગવો, ઉલટી,સ્નાયુઓમાં દુખાવો વગેરે લક્ષણો જોવા મળે છે.



ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો