Urea Fertilizer: યુરિયા ખાતરની ખરીદી સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત પણે ખરીદવા અંગે રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો નથી. જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં  પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.



નેનો યુરિયા અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું કે, દાણાદાર યુરિયાના વપરાશથી આ ખાતરમાં રહેલા નાઇટ્રોજન તત્વનો ૩૦ ટકા જેટલો જથ્થો ભેજ સાથે જમીનમાં ઉતરી જાય છે અને જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે. હવામાં ઉડી જતા નાઇટ્રોજનનો વ્યય અટકાવવા માટે ખેડૂતોને નેનો યુરિયા વપરવા માટે પ્રેરીત કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે, નેનો યુરિયાની ૫૦૦ મિલી.ની એક બોટલ, ૪૫ કિગ્રાની એક બેગ યુરિયા બરાબર છે. નેનો યુરિયાથી ખાતરોના આડેધડ ઉપયોગથી પર્યાવરણને થતું નુકશાન અટકે છે તેમજ કૃષિ પેદાશોની ગુણવત્તા અને પોષક મુલ્યમાં વધારો થાય છે.

મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં ક્યાંય પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ નથી. પાકની સીઝન દરમિયાન યુરિયા ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડવામાં આવે છે. રાજ્યમાં એક-બે જગ્યાએ નિશ્ચિત કારણોસર ખાતર પહોંચવામાં મોડું થયું છે, પરંતુ અછત સર્જાઈ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ખેડૂતોની ચિંતા કરી ખાતરનો જથ્થો સમયસર મંજૂર કરે છે અને જથ્થો ઉપલબ્ધ પણ કરાવે છે.


છેલ્લા કેટલાક વર્ષોમાં નેનો યુરિયા એક સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝર યુરિયાનું પ્રવાહી સ્વરૂપ છે. નાઈટ્રોજન તેના થોડા ટીપાં દ્વારા જ છોડને પૂરો પાડવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે નેનો યુરિયા પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી. આ સ્પ્રેના થોડા ટીપાં પૂરતા છે, જે જમીન અને છોડ દ્વારા શોષાય છે.


નેનો યુરિયાનો ઉપયોગ કરવાની સાચી રીત


અત્યાર સુધી યુરિયા માત્ર સફેદ પાવડર અથવા ગ્રાન્યુલ્સના રૂપમાં જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ઇકો-ફ્રેન્ડલી નેનો લિક્વિડ યુરિયાને બજારમાં ઉતારી છે. પાક પર પ્રવાહી યુરિયાનો છંટકાવ કરવો ખૂબ જ સરળ છે. જ્યાં ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા, તેઓને ચામડીના ચેપ અને આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ થતી હતી. આવી સ્થિતિમાં, પ્રવાહી યુરિયાને સ્પર્શ કર્યા વિના અને કોઈપણ નુકસાન વિના પાક પર છંટકાવ કરી શકાય છે.


આ માટે 2 થી 4 મિ.લિ. 1 લીટર પાણીમાં નેનો યુરિયા ભેળવીને લિક્વિડ બનાવો. કૃષિ તજજ્ઞોના મતે એક પાકમાં માત્ર બે વાર નેનો યુરિયાનો છંટકાવ પૂરતો છે. પ્રવાહી યુરિયામાં હાજર નાઇટ્રોજન તત્વો છોડના પાંદડા દ્વારા શોષાય છે. આ રીતે, પરંપરાગત યુરિયાની તુલનામાં, તે પણ પ્રદૂષણનું કારણ નથી અને ઓછા ખર્ચમાં બમણો ફાયદો છે.


નેનો યુરિયાના ફાયદા


આજે દેશના લાખો ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરીને પાકમાંથી બમ્પર ઉપજ લઈ રહ્યા છે. આનાથી ઘન યુરિયા પરની નિર્ભરતા ઘણી હદે ઘટી ગઈ છે. નેનો યુરિયા હવે ખૂબ જ ઓછા ખર્ચે સમગ્ર પાકને આવરી લે છે. જેના કારણે છોડને યોગ્ય પોષણ મળે છે અને તેઓ ઓછા મહેનતે પાકમાંથી સારી ઉપજ મેળવી શકે છે. તેન માત્ર ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને હલ કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.