Agriculture News: હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતીપાક પર મોટી અસર થઈ છે. આ દરમિયાન અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં ભર શિયાળે કેસર કેરીની આવક થઈ હતી. શિયાળામાં કેસર કેરી વેચાવા આવતા લોકો પણ જોવા ઉમટી પડ્યા હતા.


કેટલો મળ્યો ભાવ


ભર શિયાળામાં કેસર કેરી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવતા અચરજ ફેલાયું હતું. 17  કિલો જેટલી કેસર કરી એપી એમ સી ના ફ્રૂટ ના વેપારી ઈમ્તિયાઝ ભાઈ દલ પાસે આવી હતી. આ કેસર કેરીના બોક્સ હરાજીમાં ૭૦૦  રૂપિયા કિલોના ભાવે વેચાયું હતું.


ઉનાળાના મે  મહિના થઈ  લઈ જુલાઈ સુધી કેસર કેરીની સિઝન હોય  છે ત્યારે આ કેસર કેરી શિયાળામાં અહીં વેચાવા આવતા  એપી એમ સી માં આવેલ ખેડૂતો અને લોકો પણ કેરીને જોવા ઉમટી પડ્યા હતા. વેપારી ઈમ્તિયાઝ દલે જણાવ્યું કે સામાન્ય રીતે શિયાળામાં ક્યારેય કેરી પાકતી નથી પંરતુ રેર કિસ્સામાં વાતાવરણમાં ચેન્જના કારણે કે કેરીનું આવરણ થયું હોય અને આ કેસર  કેરી પાકી હતી.


થોડા સમય પહેલા પોરબંદર એ.પી.એમ.સી. માં પણ ખંભાલા ગામના ખેડૂત સંજયભાઈ  ચુડાસમા કેસર કેરી વેચવા આવ્યા હતા. જે કેસર કેરીના બે બોક્સ અંદાજીત ૫૫૦ રૂપિયામાં વેચાયા હતા.  શિયાળામાં કેસર કેરી આવતા અચરજ પણ ફેલાયું હતું.


પ્લાનિંગથી કરશો કેરીની ખેતી તો ઉત્પાદનમાં થશે વધારો, આ બાબત પર ખેડૂતો આપે ખાસ ધ્યાન


કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે જો ખેડૂતો કેરીના પાકનું ઉત્પાદન વધારવા માંગતા હોય તો હવામાન પરિવર્તનના આ યુગમાં કેરીની ખેતી કરતા પહેલા  અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ખેડૂતો કેરીના વાવેતરના સમયથી જ યોગ્ય આયોજન કરે તો ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય છે.


શું ધ્યાનમાં રાખશો


બદલાતી ઋતુ પ્રમાણે બગીચામાં છંટકાવ અને સિંચાઈ કરી ખાતર આપવું જરૂરી છે. સમયાંતરે બાગાયતશાસ્ત્રીઓનો અભિપ્રાય લેવો જોઈએ. જેથી બગીચામાં થતા નુકસાનકારક ફેરફારોને અટકાવી શકાય. આંબા માટે હંમેશા સુધારેલી જાતો પસંદ કરો.


કેરીની ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ બાબત જમીન, આબોહવા અને વિવિધતા છે. વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને સારી ગુણવત્તાવાળી જમીન હોવી જરૂરી છે. કેસર, હાપુસ, લંગડો, બદામ, વનરાજ તેની ખેતી માટેની સુધારેલી જાતો છે. 


કેવી જમીન છે કેરીના પાક માટે ઉત્તમ


કેરીની ખેતી માટે સૌથી યોગ્ય જમીન કાળી અને રેતાળ છે. જોકે હાલ તે અન્ય પ્રકારની જમીનમાં પણ ઉગાડવામાં આવે છે. વધુ વરસાદ પડે તો પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરવી જોઈએ. રોગના કિસ્સામાં સ્પ્રે કરો. હવે ડ્રોન આવવાથી કેરીના પાક પર છંટકાવ કરવો ખૂબ જ સરળ બની ગયો છે. કેરીના પાકનો મોર આવવાના સમયે વરસાદ પડે ત્યારે નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં કેરીનું વાવેતર કરો. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા નિર્દિષ્ટ કરેલ અંતરે તેનું વાવેતર કરો. કોઈપણ રોગ દેખાય તો તરત બાગાયતશાસ્ત્રીની મદદથી ઉકેલ લાવો.